ડી બીયર્સ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અમિત પ્રતિહારીએ રોઇટર્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, યુએસ અને ચીન જેવા મુખ્ય બજારોમાં મંદી વચ્ચે ભારત કટ અને પોલિશ્ડ હીરા માટે એક તેજસ્વી સ્થળ તરીકે ઉભરી રહ્યું છે.
જોકે, ચીન અને યુએસની નબળી માંગને કારણે આ વર્ષે દેશની કટ અને પોલિશ્ડ હીરાની નિકાસમાં ઘટાડો થયો હતો, જેના કારણે ઉદ્યોગને વિકસતા સ્થાનિક બજાર પર ધ્યાન કેન્દ્રિત કરવાની ફરજ પડી હતી જેણે ગયા વર્ષે ચીનને પાછળ છોડીને વિશ્વનું બીજું સૌથી મોટું બજાર બન્યું હતું એમ પ્રતિહારીએ જણાવ્યું હતું.
અમિત પ્રતિહારીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ચીનમાં લક્ઝરી સેગમેન્ટ સંપૂર્ણપણે ધીમી પડી ગયું છે. અમે જોઈ રહ્યા છીએ કે ભારત ખૂબ જ મજબૂત રીતે આગળ વધી રહ્યું છે.
ડી બીયર્સ, એંગ્લો અમેરિકનનું યુનિટ છે, મૂલ્યની દ્રષ્ટિએ વિશ્વના ટોચના હીરા ઉત્પાદક અને રફ હીરા માટે ભારતનું નંબર વન સપ્લાયર છે. પ્રતિહારીએ કહ્યું કે, જોકે, યુ.એસ.માં પુનઃપ્રાપ્તિના કેટલાક પ્રારંભિક સંકેતો અને મધ્ય પૂર્વમાં મોટી વૃદ્ધિ જોવા મળી હતી.
આગામી બે મહિનામાં, અમે રિકવરીની અપેક્ષા રાખીએ છીએ એમ તેમણે કહ્યું હતું.
ભારતના જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના જણાવ્યા અનુસાર, પોલિશ્ડ હીરાની નબળી નિકાસની માંગને કારણે ભારતીય ડાયમંડ મેન્યુફેકચર્સને એપ્રિલ થી ડિસેમ્બર દરમિયાન રફ ડાયમંડની આયાતમાં 22 ટકાથી 7.9 બિલિયન ડોલર સુધી કાપ મુકવાની ફરજ પડી હતી.
ડી બિયર્સ મિડસ્ટ્રીમ ઈન્ડસ્ટ્રીને ટેકો આપવા માટે રફ હીરાના ભાવને સમાયોજિત કરી રહી છે જે કંપનીઓ માઇનર્સ પાસેથી રફ હીરા ખરીદે છે અને તેને કટિંગ અને પોલિશ કર્યા પછી રિટેલરોને વેચે છે – પોલિશ્ડ હીરાના ભાવ રફ હીરા કરતા વધુ ઘટી રહ્યા છે, એમ પ્રતિહારીએ કહ્યું હતું.
ડી બીયર્સના મેનેજિંગ ડિરેક્ટરે આગળ કહ્યું હતું કે, માઇનર્સ સપ્લાયને નિયંત્રિત કરે છે જેથી વધુ રફ માર્કેટમાં ન આવે જેનાથી પોલિશ્ડ કિંમતો પર વધારાનું દબાણ આવે. પરંતુ પોલિશ્ડ કિંમતો પર દબાણ મધ્યપ્રવાહમાં છે કારણ કે રિટેલમાં કોઈ ફેરફાર થયો નથી.
GJEPCના જણાવ્યા અનુસાર, 2023ના સમયગાળાની સરખામણીમાં એપ્રિલ-ડિસેમ્બરમાં ભારતની કટ અને પોલિશ્ડ ડાયમંડની નિકાસ 8.3 ટકા ઘટીને 9.76 બિલિયન ડોલર થઇ હતી.
એક અન્ય ઇન્ટરવ્યૂમાં પ્રતિહારીએ કહ્યુ હતું કે, લેબગ્રોન ડાયમંડની વધતી જતી લોકપ્રિયતા સાથે, કુદરતી હીરા ઉદ્યોગ સિન્થેટીક અને કુદરતી હીરા વચ્ચે તફાવત કરવા માટે બેટર ટેક્નોલૉજીની જરૂરિયાત છે.
પ્રતિહારીએ કહ્યું કે તે સિન્થેટીક હીરા સાથે કોઇ સ્પર્ધા નથી, પરંતુ , હીરાના વેચાણકર્તાઓ દ્વારા સિન્થેટીક ડાયમંડ જાહેર ન થવાનું જોખમ જુએ છે. ગ્રાહકને યોગ્ય માહિતી ન આપવી એ જોખમ છે.
મને લાગે છે કે, તેથી, યોગ્ય પ્રકારનું પ્રમાણપત્ર, યોગ્ય બ્રાન્ડ પાસેથી ખરીદવું મહત્વપૂર્ણ છે. જેઓ 100 ટકા કુદરતી હીરાને ગ્રેડ આપી શકે તેવી યોગ્ય સંસ્થાઓ હોવાની વાત કરે છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube