અક્ષય તૃતીયા પર 22 ટન સુધીનું સોનું વેચાયું, ભારતના વિદેશી હૂંડિયામણના ભંડારમાં વધારો

જથ્થાની દ્રષ્ટિએ ગયા વર્ષ જેટલું જ સોનું વેચાયું પરંતુ કિંમત વધી હોવાના લીધે મૂલ્ય દ્રષ્ટિએ તે વધું વેચાયું એમ કહી શકાય

22 tonnes gold sold on Akshaya Tritiya boosts Indias foreign exchange reserves
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ઉંચા ભાવ હોવા છતાં અક્ષય તૃતીયા પર દેશમાં કુલ 20 થી 22 ટન સોનાનું વેચાણ થયું હતું. અગાઉ વેચાણ 25 ટન હોવાનો અંદાજ હતો. ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના અધ્યક્ષ સંયમ મહેરાએ જણાવ્યું હતું કે, જથ્થાની દ્રષ્ટિએ ગયા વર્ષ જેટલું જ આ વર્ષે અક્ષય તૃતીયા દિવસે સોનાનું વેચાણ થયું છે.

જોકે, મૂલ્યના દ્રષ્ટિએ વેચાણમાં વધારો થયો છે એમ કહી શકાય. તેનું મુખ્ય કારણ સોનાના ભાવમાં એક વર્ષમાં લગભગ 22 ટકાનો વધારો છે. સમગ્ર દેશમાં સોનાના કુલ વેચાણમાં દક્ષિણ ભારતનો હિસ્સો સૌથી વધુ 40 ટકા હતો. લગભગ 25 ટકા સોનું પશ્ચિમ ભારતમાં, 20 ટકા પૂર્વ ભારતમાં અને 15 ટકા ઉત્તર ભારતમાં વેચાયું હતું.

સામાન્ય જ્વેલર્સના શો-રૂમની વાત કરીએ તો સોનાની ઊંચી કિંમતોના લીધે અક્ષય તૃતીયાના દિવસે ઘરાકી ઓછી રહેતાં જ્વેલર્સ નિરાશ જણાયા છે. મોંઘવારીમાં સોના ચાંદીના ભાવો ખૂબ વધી જતાં અખાત્રીજ અને ભગવાન પરશુરામજીનો પ્રાગટ્ય દિને જ્વેલર્સના વેપારને વ્યાપક અસર અસર જોવા મળી હતી. આ વર્ષે 10 ગ્રામ સોનું 71,725 રૂપિયા અને  ચાંદીનો કિલોનો ભાવ 81,663 રૂપિયા પર પહોંચતા જવેલર્સનો વેપાર 30 ટકા ગત વર્ષની તુલના એ ઓછો રહ્યો હતો.

અક્ષય તૃતીયાનાં શુભ દિવસે સમગ્ર ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરીની માંગ સામાન્ય રહી હતી. શુકનનાં ઇન્વેસ્ટમેન્ટ માટેના હેતુ માટે ખરીદ કરવામાં આવેલા સોના અને ચાંદીના સિક્કાની ડિમાન્ડ સારી રહી હતી. લાઈટ જ્વેલરીની ડિમાન્ડ સોનાના ઊંચા ભાવોને લીધે ગયા વર્ષ કરતા ત્રીસેક ટકા ઓછી રહી હોવાનો અંદાજ મુકાયો હતો.

ભાવો વધુ હોવાથી લગ્નસરાની ખરીદીને પણ અસર પહોંચી છે. અખાત્રીજે જ્વેલર્સને ત્યાં ગ્રાહક તો જોવા મળ્યા હતા પણ ઘરાકી જામી ન હતી. લગ્નસરા માટે બુકિંગ નોંધાવનારા ગ્રાહકો જ ડિલિવરી લેવા અખાત્રીજે શો રૂમ દેખાતા હતા.

જવેલર્સ એ  જણાવ્યું હતું કે સોના ,ચાંદીના ભાવો વધારે હોવાથી આ વર્ષે અખાત્રીજના શુભ મુહૂર્તમાં ઘરેણાંનાં ઓર્ડર ઓછા મળ્યા હતા. આગામી જુન માસમાં લગ્ન યોજવામાં છે, તેઓને મેકિંગ ચાર્જ ફ્રી સાથેની સ્કીમ આપી હતી છતાં ગ્રાહકો નવી ખરીદીથી દૂર રહ્યાં હતા. ગયા વર્ષે સુરતમાં 100 કરોડનો વેપાર થયો હતો જે આવશે 70 કરોડ પર આવી ગયો હતો.

કોરોના પછી 2022 માં  120 કરોડનો વેપાર અખાત્રીજે થયો હતો. આ વર્ષે સુરતના નાના મોટા જ્વેલર્સ મળી 70 કરોડના સોના-ચાંદીના દાગીનાનું વેચાણ થયું હતું. ઉપરાંત 800  ટુ-વ્હીલર અને 350 ફોર વ્હીલરનું વેચાણ  થયું હતું. જે છેલ્લા 3 વર્ષમાં સૌથી ઓછું વેચાણ હતું.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS